ગૃહમંત્રી આજે ગુજરાતમાં, કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ : અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત ...
- 12 Feb, 2024
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. ગૃહપ્રધાન અમિત શાહ રૂ.1,548.42 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરશે.
અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે. જેમાં 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને રૂ.649.37 કરોડના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. પ્રથમ સવારે 10 કલાકે થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
ત્યારબાદ તેઓ રામદેવ પીર ટેકરા ખાતે 444 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરેલા 588 આવાસનું લોકાર્પણ કરશે.ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પૂર્વ-પશ્ચિમ ઝોનમાં વિકાસકાર્યોની ભેટ આપશે.અને ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી અપાશે
ગૃહમંત્રીના આજના મુખ્ય કાર્યક્રમમાં થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત EWS 588 આવાસોનું લોકાર્પણ, AMC બોર્ડની નવનિર્મિત વાડજ શાળા નં-1નું લોકાર્પણ, સ્વ. પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામકરણ કાર્યક્રમમાં હાજર, AMCના વિકાસલક્ષી વિવિધ કામોની ભેટ અને જાહેરસભા, નારાયણ ઈન્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી જેતલપુરનું ઉદઘાટન તેમજ ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન સામેલ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ